Uttarakhand Bypolls Result 2024: BJPને અયોધ્યાની હાર બાદ બીજી નિષ્ફળતા બદ્રીનાથ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ હાર

Uttarakhand Bypolls Result 2024: લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા હાર્યા બાદ, ભાજપને ઉત્તરાખંડના બીજા ધાર્મિક શહેર બદ્રીનાથમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને બદ્રીનાથ સીટ પરથી હાર મળી છે. બદ્રીનાથ ચારધામમાંનું એક છે અને અહીં મોટા પાયે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, તેમ છતાં હાર મળવી ભાજપ માટે મુશ્કેલી વધારશે.

અયોધ્યાની હાર બાદ બીજી નિષ્ફળતા

અયોધ્યામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો, જે ભગવાન રામની જન્મભૂમિ છે. હવે બદ્રીનાથમાં પણ એ જ સ્થિતિ છે. સવાલ એ છે કે શું ભાજપના વિકાસ કાર્યો છતાં પણ સ્થાનિક મતદારોને રીઝવવામાં નિષ્ફળ રહી છે?

કૉંગ્રેસની સીટ, પરંતુ…

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારી લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, જેના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની નોબત આવી હતી.

સ્થાનિક લોકો અને પૂજારીઓનો ઉગ્ર વિરોધ

બદ્રીનાથમાં હારના કારણે એ સવાલ ઊભો થયો છે કે શું સ્થાનિક લોકો અને પૂજારીઓમાં વિકાસ કાર્યોને લઈને અસંતોષ છે? થોડા મહિના પહેલા અહીંના પૂજારીઓ અને સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વીઆઈપી દર્શનની સુવિધાને કારણે સામાન્ય દર્શનાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી, જેને કારણે રહેવાસીઓમાં નારાજગી હતી.

માસ્ટર પ્લાનથી નારાજગી

કોઈ સ્ટડી કર્યા વગર ચારેધામ માસ્ટર પ્લાન લાગુ કરાયો છે, જેનાથી સ્થાનિક લોકોમાં નારાજગી છે. તેઓના મતે, માસ્ટર પ્લાનના નિર્માણ કાર્યો બદ્રીનાથને નુકસાન પહોંચાડી શકે છે.

અનુમાન અને ભવિષ્ય

આ હાર ભાજપ માટે ચિંતાનો વિષય છે. જો ભાજપ સરકાર ધાર્મિક સ્થળોના વિકાસમાં લોકોની સહભાગિતા મેળવવામાં નિષ્ફળ રહી છે, તો આવનારા ચૂંટણીમાં પણ પ્રભાવ પડે તેવી સંભાવના છે.

Leave a Comment