SBI Solar Loan Scheme: સૌર ઉર્જાએ સૌથી ફાયદેમંદ, લાભદાયી હોય છે. ભારત સરકારે પણ સૌર ઉર્જાને પ્રોત્સાહિત કરવા માટે યોજના બાર પાડી છે. જો તમે સોલાર ઇન્સ્ટોલ કરવા માગો છો તો SBI તમને આપશે લોન. જેનાથી સોલાર પેનલ લગાવી શકાય છે અને મફત વીજળીનો પણ લાભ લઈ શકાય છે.
સોલાર પેનલ એક બેસ્ટ ઓપ્શન
આપણે સૌ જાણીએ જ છીએ કે વીજળી કેટલી જરૂરી છે. વીજ ઉર્જાનો વ્યય વધુ પ્રમાણમાં હોવાથી તેનું ઉત્પાદન પણ જરૂરી બને છે. ત્યારે સોલાર પેનલ એક બેસ્ટ ઓપ્શન છે. જો તમે પણ સોલાર પેનલ લગાવવા માગતા હોય તો SBI તમને આપશે લોન. SBI ની ખાસ લોન ઓફર હેઠળ લોકો સરળતાથી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકે છે. આ યોજનામાં ક્યાં, કેટલા અને કેવી રીતે લાભ મળવા પાત્ર છે તેની ચર્ચા કરીએ.
પરિવાર દીઠ 300 યુનિટ વીજળી મફત
સરકારની નવી યોજના અંતર્ગત વડાપ્રધાને દેશના 1 કરોડ જેટલા ઘરો પર સોલાર પેનલ લગાવવાનું એલાન કર્યું છે. આ યોજના હેઠળ પરિવાર દીઠ 300 યુનિટ વીજળી મફત મળે છે. આ યોજનાનો ખાસ લાભ ગરીબ પરિવારોને પણ મળે છે. ગરીબ પરિવારોને વળતર મેળવવામાં પણ મદદ મળે છે. આ યોજના દ્વારા સરકારે ઉર્જા બચાવોના સંદેશને ખાસ પ્રોત્સાહન આપ્યું છે. આ યોજના હેઠળ મધ્યમ વર્ગના પરિવારોને 1 KW થી 10 KW ક્ષમતા સુધીની સોલાર સિસ્ટમ પર વળતર અપાશે.
કેટલું મળશે વળતર?
સરકાર તરફથી માલતિ સબસિડીનો લાભ તો જ મળશે જો તમે તમારા ઘરે ગ્રીડ સાથે જોડાયેલી સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરશો. 1 કિલોવોટ સિસ્ટમ માટે 30000 નું વળતર, 2 કિલોવોટ માટે 60,000 નું વળતર. 3 થી 10 કિલોવોટ સુધીની ક્ષમતા ધરાવતી સિસતા માટે 78,000 જેટલું વળતર મળવાપાત્ર છે.
સૌથી સસ્તી સોલાર લોન
SBI બેંક સૌથી સસ્તી સોલાર લોન આપે છે. જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોવ અને તમારી પાસે સોલાર પેનલ માટે પૈસા નથી તો તમે લોન લઈ શકો છો. સમગ્ર લોન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારના વધારાનાન ચાર્જ લગાવવામાં આવતા નથી. આ સિસ્ટમ લગાવવા માટે વાર્ષિક આવક ઓછામાં ઓછી 3 લાખ હોવી આવશ્યક છે.